tg-me.com/gyaanganga/54826
Last Update:
..સંભાજી એમાંના એક હતા.
📌 ૧૩ વર્ષની ઉમર સુધી તેઓ ૧૩ ભાષા શીખી ગયેલા અને બુદ્ધભૂષણ અને નાક્ષિકા જેવા ગ્રંથની રચના કરેલી.
📌 શિવાજીને જ્યારે આગ્રામાં કેદ કરવામાં આવ્યા અને ઔરંગઝેબના નાક નીચેથી ચપળપૂર્વક છટકી ગયા ત્યારે સંભાજી પણ એમની સાથે જ હતા..
📌 ૧૬૮૦ માં શિવાજી મહારાજના મૃત્યુ બાદ ૨૩ વર્ષના સંભાજીએ ગાદી સંભાળી..સત્તામાં આવ્યા બાદ સંભાજીએ બુરહાનપુર પર હુમલો કરી મુઘલો ના કિલ્લામાં ક્યારેય ન પુરાય એવુ ગાબડું પાડ્યું હતું..
📌 બદલો લેવા અને સંભાજીને પકડવા ઔરંગઝેબ ખૂબ મથ્યો પણ ફાવ્યો નહીં.ઔરંગઝેબ સાથે તકરારબાદ તેનો પુત્ર અકબર સંભાજીના શરણે ગયો હતો..ત્યારે સંભાજીએ અકબરની બેન ઝીનતને એક પત્ર લખ્યો..કહેવાય છે કે ઔરંગઝેબે એ પત્ર ભરી સભામાં વંચાવ્યો હતો જેમાં લખ્યું હતું.."બાદશાહ સલામત જે વિચારી દખ્ખણ આવ્યા હતા એ હેતુ પૂરો થયો હવે એમણે પાછા ફરી જવું જોઈએ.એક વાર હું અને મારા પિતા એમની કેદમાંથી છટકીને બતાવી દીધું છે..પણ જો બાદશાહ હજુ પણ જીદ પર રહ્યા તો તેઓ અમારા પંજામાંથી છટકી દિલ્હી પાછા નહીં જઈ શકે ..અને જો એમની આ જ ઈચ્છા હોય તો એમણે દખ્ખણમાં જ પોતાની કબર માટે જમીન શોધી લેવી જોઈએ.."આ પત્રથી ઔરંગઝેબ ધૂંઆપૂઆ થઈ ગયો.
સંભાજીનો ઔરંગઝેબને આ છુટ્ટો તમાચો હતો..જેની ગુંજ આખી સભાએ સાંભળી હતી..
📌 ઔરંગઝેબ કોઈપણ ભોગે સંભાજીને પકડવા માંગતો હતો..પણ દરેક વખતે એને ઊંધા મોએ પછડાટ મળતી હતી..
ઔરંગઝેબ અને સંભાજી વચ્ચે નવ વર્ષ તકરાર ચાલી સંભાજીને બાન પકડવા શક્ય તમામ ઉપાયો કર્યા બાદ ઔરંગઝેબ વારંવાર મળતી નિષ્ફળતાથી થાક્યો હતો...બીજી બાજુ સંભાજી ૯ વર્ષમાં ૧૨૦ જેટલા યુદ્ધો લડ્યા જેમાં એક પણ હાર્યા નહીં..
📌 મુઘલોની સેના મરાઠાઓ કરતા અનેકઘણી મોટી હતી છતાં ઔરંગઝેબની ઊંઘ હરામ થઈ ગઈ હતી..એટલે હવે એણે સીધા યુદ્ધ કરવાને બદલે..ઘરના ભેદીનો સહારો લેવાનું વિચાર્યું..સંભાજીના સંબંધી શિરકે પરિવારના ગનોજી શિરકે ઔરંગઝેબ સાથે ભળી ગયા..અને સંભાજી વિશે ગુપ્ત માહિતી મુઘલોને મળતી થઈ.
📌 એક દિવસ સંઘમેશ્વરના રસ્તે ઔરંગઝેબની સેનાને સંભાજી અને એમના સલાહકાર કવિ કલશને પકડીને બંધી બનાવવામાં સફળતા મળી.એમણે પકડીને બહાદુરગઢ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને અપમાનિત કરી ..નગરમાં સવારી કાઢવામાં આવી.. જેના પર નિર્દયતાથી પથ્થર વરસાવવામાં આવ્યા..
📌 ત્યારબાદ ઔરંગઝેબે સંભાજી સામે પ્રસ્તાવ મુક્યો ..બધા જ કિલ્લા મુઘલોને સોંપી ધર્મ પરિવર્તન કરી દેવાનો પ્રસ્તાવ...આ પ્રસ્તાવ માની લીધા બાદ જાન બક્ષવાનું આશ્વાસન આપ્યું..પણ આ તો શિવાજી રાજેનો પુત્ર હતો....જાન જાયે પર ધર્મ ન જાયે નો દ્રઢ સંકલ્પ કરી ચુક્યો હતો..સંભાજીએ આ પ્રસ્તાવ માનવાનો સાફ ઇનકાર કરી દીધો..ઘૂંઘવાયેલા ઔરંગઝેબે ત્યારબાદ સંભાજી પર ક્રુરતા ભર્યા અત્યાચારોની પરાકાષ્ટા કરી.. એમના શરીર પર ભાલા ભોંકવામાં આવ્યા..જીભ કાપી લેવામાં આવી..
📌 યુરોપિયન ઇતિહાસકાર ડેનિસ કિનકૈડ લખે છે કે "ફરી એક વાર સંભાજીને પૂછવામાં આવે છે ....હવે પ્રસ્તાવ મંજુર છે કે નહીં ?..કાગળ અને કલમ આપવામાં આવી..જેના પર સંભાજી એ લખ્યું.. ઔરંગઝેબ તારી દીકરીને મારી સાથે પરણાવવાનું કહીશ ને તો પણ ધર્મ પરિવર્તન નહીં જ કરું "
📌 લાલઘૂમ ઔરંગઝેબે સંભાજીના હાથ અને પગના નખ ખેંચી લીધા..
📌આંખમાં ધગધગતા સળીયા ભોંકી સંભાજીને અંધ કરી દીધા..
📌 આંગળીઓ કાપી નખાઈ.. હાથ કાપી લેવામાં આવ્યા..અને આવી રીતે બર્બરતાની હદ વટાવી ઔરંગઝેબે સંભાજીની હત્યા કરી..
📌 મૃત્યુ સમયે તેમની ઉંમર માત્ર 32 વર્ષ હતી..
📌 એમની લાશના ટુકડા કરી તુલપુરની નદીમાં ફેંકી દેવામાં આવ્યા ..ત્યાંના કેટલાક લોકોએ એ નદીમાંથી બહાર કાઢી..અલગ અલગ ટૂકડાઓ ભેગા કરી અને સીવીને એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા..
📌 કેટલાક લોકો એમ પણ માને છે કે મુઘલોએ એમની લાશના ટુકડાઓ કૂતરાઓને ખવડાવી દીધા હતા..
📌 ઔરંગઝેબે વિચાર્યું હતું કે સંભાજીના મૃત્યુ બાદ મરાઠા સામ્રાજ્ય પડી ભાંગશે પણ થયું બિલકુલ વિપરીત..સંભાજીના જીવતા જે મરાઠા સરદાર વિખરાયેલા રહ્યા એ એક થઈ ગયા.
📌 ઔરંગઝેબનુંં દખ્ખણ પર રાજ કરવાનું સપનું એના મૃત્યુ સુધી પૂરું ન થયું
➖➖➖➖➖➖➖➖
🍁 @gyaanganga🍁
➖➖➖➖➖➖➖➖
BY જ્ઞાન ગંગા એકેડમી
Warning: Undefined variable $i in /var/www/tg-me/post.php on line 280
Share with your friend now:
tg-me.com/gyaanganga/54826